રામચંદ્ર પુલવર કહે છે, “આ વાત ફક્ત કઠપૂતળીઓની કે એના ખેલની નથી." તેઓ 40 વર્ષથી વધુ સમયથી તોલ્પાવકૂત શૈલીમાં કઠપૂતળીના ખેલ રજૂ કરી રહ્યા છે, તેઓ માને છે કે કઠપૂતળીઓના ખેલ રજૂ કરનારા વિવિધ સમુદાયોના કલાકારો દ્વારા કહેવાતી બહુસાંસ્કૃતિક વાર્તાઓ કેરલાના મલબાર પ્રદેશમાં સમન્વયિત પરંપરાઓને જાળવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

તેઓ ઉમેરે છે, “વાત આપણા સાંસ્કૃતિક વારસાને સાચવવાની અને તેને ભાવિ પેઢીઓ સુધી પહોંચાડવાની છે. અમે તોલ્પાવકૂત દ્વારા જે વાર્તાઓ કહીએ છીએ તેમાં ઊંડો અર્થ રહેલો હોય છે અને એ વાર્તાઓ લોકોને વધુ સારા માનવી બનવા માટે પ્રેરણા આપી શકે છે."

તોલ્પાવકૂત એ કેરલાની છાયા-કઠપૂતળીના ખેલની પરંપરાગત કળા છે. તે મુખ્યત્વે મલબાર પ્રદેશમાં ભારદપુળા (નીલા) નદીના કિનારે આવેલા ગામડાઓમાં પ્રચલિત છે. કઠપૂતળીઓના ખેલ રજૂ કરતા કલાકારો વિવિધ જાતિઓ અને સમુદાયોમાંથી આવે છે અને આ પ્રસ્તુતિઓ સહુ કોઈ માણી શકે છે.

મંદિરના પરિસરની બહાર કોત્તુમાડમ નામના કાયમી થિયેટર હાઉસમાં તોલ્પાવકૂત પ્રસ્તુત કરવામાં આવે છે. પરિણામે સહુ કોઈ ત્યાં આવીને આ કલાસ્વરૂપનો આનંદ ઊઠાવી શકે છે. પરંપરાગત રીતે તોલ્પાવકૂતની પ્રસ્તુતિ દેવી ભદ્રકાળીના પવિત્ર ઉપવનોમાં એક વાર્ષિક ઉત્સવ રૂપે કરવામાં આવે છે, તે મહાકાવ્ય રામાયણમાંથી રામ અને રાવણ વચ્ચેનું મહાયુદ્ધ રજૂ કરે છે. જો કે તોલ્પાવકૂતની પ્રસ્તુતિ રામાયણમાં રજૂ કરવામાં આવેલી ધાર્મિક વાર્તાઓ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેમાં લોકકથાઓ પણ રજૂ કરવામાં આવે છે.

કઠપૂતળીના ખેલ રજૂ કરતા કલાકાર નારાયણન નાયર કહે છે, “અમારી પ્રસ્તુતિ માટે જરૂરી ભંડોળ અને અન્ય સહાય મેળવવા માટે અમારે ખૂબ સંઘર્ષ કરવો પડે છે. ઘણા લોકો તોલ્પાવકૂતનું મૂલ્ય સમજી શકતા નથી અને તેઓ તેને એક જાળવવા યોગ્ય કલા સ્વરૂપ તરીકે જોતા નથી.”

આ ફિલ્મ અનેક પડકારો વચ્ચે પણ તોલ્પાવકૂતની પ્રસ્તુતિ કરવાનું ચાલુ રાખનાર, કઠપૂતળીઓના ખેલ રજૂ કરનાર કલાકારો બાલકૃષ્ણ પુલવર, રામચંદ્ર પુલવર, નારાયણન નાયર અને સદાનંદ પુલવરના વિચારો, તેમની લાગણીઓ આપણા સુધી પહોંચાડે છે.

જુઓ ફિલ્મ: છાયા-કઠપૂતળીની વાર્તાઓ

આ વાર્તા મૃણાલિની મુખર્જી ફાઉન્ડેશન (એમએમએફ) ની ફેલોશિપ દ્વારા સમર્થિત છે.

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Sangeeth Sankar

ସଂଗୀତ ଶଙ୍କର ଆଇଡିସି ସ୍କୁଲ ଅଫ୍ ଡିଜାଇନର ଜଣେ ଗବେଷକ ଛାତ୍ର। ମାନବୀୟ ସଂସ୍କୃତି ସମ୍ବନ୍ଧୀୟ ତାଙ୍କ ଗବେଷଣାରେ ସ୍ଥାନ ପାଇଛି କେରଳର କଣ୍ଢେଇ ନୃତ୍ୟକଳାର ରୂପାନ୍ତରଣ ପ୍ରସଙ୍ଗ। ସଙ୍ଗୀତ ୨୦୨୨ରେ MMF-PARI ଫେଲୋସିପ୍ ପାଇଥିଲେ।

ଏହାଙ୍କ ଲିଖିତ ଅନ୍ୟ ବିଷୟଗୁଡିକ Sangeeth Sankar
Text Editor : Archana Shukla

ଅର୍ଚ୍ଚନା ଶୁକ୍ଳା ପିପୁଲସ୍ ଆର୍କାଇଭ୍ ଅଫ୍ ରୁରାଲ୍ ଇଣ୍ଡିଆର ଜଣେ କଣ୍ଟେଣ୍ଟ ଏଡିଟର ଏବଂ ସେ ପ୍ରକାଶନ ଟିମ୍ ସହିତ କାର୍ଯ୍ୟ କରନ୍ତି ।

ଏହାଙ୍କ ଲିଖିତ ଅନ୍ୟ ବିଷୟଗୁଡିକ Archana Shukla
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

ଏହାଙ୍କ ଲିଖିତ ଅନ୍ୟ ବିଷୟଗୁଡିକ Maitreyi Yajnik