જલિયાંવાલા બાગ એ ઉભરતા રાષ્ટ્રની ચેતનામાં આવેલો એક નવો વળાંક હતો. આપણામાંના ઘણાં એ સાંભળીને મોટા થયા કે ભગતસિંહની વારતા અહીથીજ શરુ થઇ હતી -- જયારે એ દસ વર્ષના હતા અને અહીં મુલાકાતે આવેલાં ત્યારે એક નાની બાટલીમાં ભરીને અહીંથી લોહી ખરડાયેલી માટી પોતાના ગામ લઇ ગયેલા. ત્યાં દાદાના ઘેર એમની બહેનની સાથે મળીને બગીચામાં એક જગ્યાએ એ માટી ઠાલવી. પછી એ જગ્યાએ દર વર્ષે તેઓ ફૂલ ઉગાડતાં.

13 એપ્રિલ, 1919 ના રોજ પંજાબના અમૃતસરમાં હજારો નિશસ્ત્ર નાગરિકો (અંગ્રેજોના કહેવા મુજબ 379) ઉપર થયેલો હત્યાકાંડ,આજ સુધી ગુનેગારો કે તેમની અનુગામી સરકારોના અંતરાત્માને સ્પર્શ્યો હોય તેવું લાગતું નથી. બ્રિટિશ વડા પ્રધાન ટેરેસા મે એ આ અઠવાડિયે સંસદમાં અફસોસ વ્યક્ત કર્યો - પરંતુ એ ભયાનક અત્યાચાર માટે એમણે માફી ન માગી.

Jallianwala Bagh
PHOTO • The Tribune, Amritsar
Jallianwala Bagh
PHOTO • Vishal Kumar, The Tribune, Amritsar

તમારે જલિયાંવાલા બાગની મુલાકાત લેવી હોય અને છતાંય લાગણીવશ ના થવું હોય તો એ માટે તમારે એક અજબની સંવેદનહીનતા દાખવવી પડે. 100 વર્ષ પછી, તે ગણતરીપૂર્વકના કત્લેઆમની ચીસો આજે પણ એ બાગમાં પડઘાય છે. લગભગ 35 વર્ષ પહેલા જયારે મેં મુલાકાત લીધી ત્યારે હું બાજુની દીવાલ પર કોતર્યા વગર ના રહી શક્યો:

કર્યો હુમલો એમણે

અમ નિહથ્થાઓ ઉપર

વિખરાયાં ટોળેટોળાં

ઝીલ્યાં ફટકાઓ લાકડીઓના

તૂટયાં સજડ સૌ હાડ

થયાં ગોળીબાર ધડધડ

ફૂટ્યાં કોઈના માથાં

અહીં કોઈના ધડ

વણ ફૂટ્યો વણ તૂટ્યો માંહ્યલો

જોતો ધૂળ ભેગાં થતાં સામ્રાજ્ય

અનુવાદ: પ્રતિષ્ઠા પંડ્યા

P. Sainath

ପି. ସାଇନାଥ, ପିପୁଲ୍ସ ଆର୍କାଇଭ୍ ଅଫ୍ ରୁରାଲ ଇଣ୍ଡିଆର ପ୍ରତିଷ୍ଠାତା ସମ୍ପାଦକ । ସେ ବହୁ ଦଶନ୍ଧି ଧରି ଗ୍ରାମୀଣ ରିପୋର୍ଟର ଭାବେ କାର୍ଯ୍ୟ କରିଛନ୍ତି ଏବଂ ସେ ‘ଏଭ୍ରିବଡି ଲଭସ୍ ଏ ଗୁଡ୍ ଡ୍ରଟ୍’ ଏବଂ ‘ଦ ଲାଷ୍ଟ ହିରୋଜ୍: ଫୁଟ୍ ସୋଲଜର୍ସ ଅଫ୍ ଇଣ୍ଡିଆନ୍ ଫ୍ରିଡମ୍’ ପୁସ୍ତକର ଲେଖକ।

ଏହାଙ୍କ ଲିଖିତ ଅନ୍ୟ ବିଷୟଗୁଡିକ ପି.ସାଇନାଥ
Translator : Pratishtha Pandya

ପ୍ରତିଷ୍ଠା ପାଣ୍ଡ୍ୟା ପରୀରେ କାର୍ଯ୍ୟରତ ଜଣେ ବରିଷ୍ଠ ସମ୍ପାଦିକା ଯେଉଁଠି ସେ ପରୀର ସୃଜନଶୀଳ ଲେଖା ବିଭାଗର ନେତୃତ୍ୱ ନେଇଥାନ୍ତି। ସେ ମଧ୍ୟ ପରୀ ଭାଷା ଦଳର ଜଣେ ସଦସ୍ୟ ଏବଂ ଗୁଜରାଟୀ ଭାଷାରେ କାହାଣୀ ଅନୁବାଦ କରିଥାନ୍ତି ଓ ଲେଖିଥାନ୍ତି। ସେ ଜଣେ କବି ଏବଂ ଗୁଜରାଟୀ ଓ ଇଂରାଜୀ ଭାଷାରେ ତାଙ୍କର କବିତା ପ୍ରକାଶ ପାଇଛି।

ଏହାଙ୍କ ଲିଖିତ ଅନ୍ୟ ବିଷୟଗୁଡିକ Pratishtha Pandya