વિક્રમાદિત્ય નિષાદ કહે છે, “અમે પેઢીઓથી માત્ર બે જ કામ કરતા આવ્યા છીએ − નૌકાવિહાર અને માછીમારી. મને લાગે છે કે [બિન] રોજગારની હાલની સ્થિતિને જોતાં, મારા બાળકોએ પણ આ જ કરવાનું ચાલુ રાખવું પડશે.” તેઓ છેલ્લાં 20 વર્ષથી વારાણસીના યાત્રાળુઓ અને પ્રવાસીઓને ગંગા નદીના એક ઘાટ (કિનારે) થી બીજા ઘાટ સુધી લઈ જઈ રહ્યા છે.
ઇન્ડિયા એમ્પ્લોયમેન્ટ રિપોર્ટ 2024 કહે છે કે ઉત્તર પ્રદેશમાં બેરોજગારી, જેમાં ગંગા એક હજાર કિલોમીટરથી વધુ વહે છે, છેલ્લા પાંચ વર્ષમાં લગભગ 50 ટકાના દરે સ્થિર થઈ ગઈ છે.
તેઓ કહે છે, “મોદીજી ‘વોકલ ફોર લોકલ’ અને ‘વિરાસત હી વિકાસ [વારસો પણ, વિકાસ પણ]’ માટે પ્રચાર કરી રહ્યા છે. મહેરબાની કરીને મને જણાવો કે તે વિરાસત [વારસો] કોના માટે છે? શું અમારા કાશી [વારાણસી]ના લોકો માટે કે બહારના લોકો માટે?” વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી ત્રીજી વખત ચૂંટાયા હતા, અને તેમના પ્રચાર અભિયાને કડવો સ્વાદ પાછળ છોડી દીધો છે, આ નાવિક ઉમેરે છે કે, “અમારે વિકાસ જોવો જ છે.”






