આર. નલ્લકન્નુ ૧૯૨૫-૨૦૨૬
ભારતના સ્વતંત્રતા સંગ્રામના ગણ્યાગાંઠ્યા જીવંત નાયકોમાંના એક અને એમાં પણ તામિલનાડુના તો આખરી લડવૈયા તે આર. નલ્લકન્નુનું. ૨૫ ફેબ્રુઆરીના રોજ ૧૦૧ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું. મારા પુસ્તક ધ લાસ્ટ હીરોઝ: ફૂટ સોલ્જર્સ ઓફ ઇન્ડિયન ફ્રીડમમાં અંગ્રેજ સલ્તનત સામે ઝઝૂમતી જે વિસરાતી લડવૈયાઓની પેઢીની વાત કરી છે તેમાંનાં તેઓ એક હતા.
કૉમરેડઆર એન કે તરીકેજાણીતા આ આઝાદીના લડવૈયાને 2022 નાસ્વતંત્રતા દિવસ પર તેમનેતમિલનાડુ સરકાર તરફથી જે 10 લાખ રૂપિયાનો રાજ્યનોસર્વોચ્ચ પુરસ્કાર - તાગૈસલ તમિળ એવોર્ડ - અપાયોતે તેમણે સ્વીકાર્યોજરૂર, પણ પછી એ 10 લાખ રૂપિયાની આખી રકમ એમણેમુખ્યમંત્રી રાહત ભંડોળમાં પરતકરી. વળી પંડના 5,000 રૂપિયા ઉમેર્યા તે જુદું. તેઓરાજ્યમાં ખેડૂત આંદોલનના સ્થાપક નેતા પણ રહ્યા. હવે તેમના નિધનથી તમિલનાડુમાં એક યુગનો અંતઆવ્યો છે.













