મરહઈ માતાના મંદિરના ચાર ફૂટ ઊંચા દરવાજે મોટાભાગના ભક્તોને માથું નમાવ્યા સિવાય છૂટકો નથી. પરંતુ માતાની ઉપચાર શક્તિઓ માટે લોકોમાં એટલો આદર છે, કે મરહા ગામ અને તેની આસપાસથી આવતા સંખ્યાબંધ લોકો તેમને આપોઆપ જ નમન કરે જ છે.
બાબુ સિંહ કહે છે, “જો તમારા પરિવારમાં કોઈ બીમાર હોય, તો તમે અહીં આવીને ભગવતીને પ્રાર્થના કરી શકો છો.” મોટા વડના ઝાડ નીચે બેઠેલા અન્ય લોકોની જેમ તેઓ પણ પૂજા શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે. ભગવતી આ મંદિરનાં દેવીનું નામ છે. તેઓ આત્મવિશ્વાસથી ઉમેરે છે, “તે સમસ્યાને હલ કદી દેશે — પછી તે બીમારી હોય કે ભૂત અથવા ડાયણ [ચૂડેલ].”
બુધવારનો દિવસ છે ને આજની બેઠક વિશેષ છે — આજે મંદિરના પૂજારી (સ્થાનિક રીતે પંડા તરીકે ઓળખાતા)ને દેવી વશમાં કરી લેશે. તેમના દ્વારા, તેઓ ભક્તોના પ્રશ્નોના જવાબ આપશે અને સામાન્ય રીતે સ્વાસ્થ્યને લગતી તેમની સમસ્યાઓના ઉકેલ આપશે.
મોટાભાગના ભક્તો ગહદરા, કોની, કુડન, ખામરી, માજોલી, મરહા, રક્ષેહા અને કઠેરી બિલ્હાટા ગામોના પુરુષો છે, પરંતુ થોડી સ્ત્રીઓ પણ હાજર છે, જેમણે માથે ઘૂંઘટ બાંધેલો છે.
ભૈયા લાલ આદિવાસીબપોર થતાંમાં તો વ્યસ્ત થઇ જાય છે. સ્થાનિક પૂજારી અને વ્યાધિના આ વિવેચક કહે છે, “આઠ ગાંવ કે લોગ આતે હૈ, [આઠ ગામોના લોકો અહીં આવે છે].”. આ ગોંડ આદિવાસીનો પરિવાર ઘણી પેઢીઓથી દેવીની સેવા કરી રહ્યો છે.










