ભૂલની કોઈ ગુંજાઈશ જ નથી.
અમન તેમના ગ્રાહકના કાનમાં કાળજીપૂર્વક પાતળી સોયની ધાર જવા દે છે ત્યારે તેમની આંખો સજાગ હોય છે. તેની ધારને ઓછી તીક્ષ્ણ કરવા માટે તેના ફરતે રૂ લગાડેલું હોય છે. તેઓ ખૂબ જ ચિવટતાથી કામ કરે છે, જેથી કરીને ચામડીને કે કાનના પડદાને નુકસાન ન થાય. તેઓ યાદ કરાવે છે, “માત્ર કાનના મેલને જ દૂર કરવાનો હોય છે.”
તેઓ પીપળાના છાંયડામાં પારી સાથે વાત કરી રહ્યા છે ત્યારે તેમની બાજુમાં તેમના ઓજારોની એક કાળી થેલીમાં એક સિલાઈ (સોય જેવું ઓજાર), ચિમટી (ટ્વીઝર્સ) અને રૂ જેવા છે. આ સિવાય તેમના થેલામાં જડીબુટ્ટીઓમાંથી બનાવેલ ઔષધીય તેલની બોટલ પણ છે, જેના વિષે તેઓ કહે છે કે આ કાન સાફ કરવા માટે તેમના પરિવારનું ખાનગી હથિયાર છે.
“સિલાઈ સે મેલ બહાર નિકાલતે હૈ ઔર ચિમટી સે ખીંચ લેતે હૈ [સિલાઈથી કાનના પડદાને સાફ કરું છું, અને ટ્વીઝરથી મેલ બહાર કાઢું છું]” ઔષધીય તેલનો ઉપયોગ ત્યારે જ થાય છે જ્યારે કોઈના કાનમાં ગઠ્ઠો થયેલો દેખાય. “અમે ચેપની સારવાર નથી કરતા, પરંતુ ફક્ત કાનનો મેલ કાઢીએ છીએ અને કોઈને ખંજવાળ થતી હોય તો તેને દૂર કરીએ છીએ.” તેઓ ઉમેરે છે, જો લોકો પોતાની મેળે ગમેતેમ કરીને તેને સાફ કરવાનો પ્રયાસ કરે, તો તેનાથી તેમના કાનને નુકસાન થાય છે, અને આ ખંજવાળ ચેપમાં ફેરવાઈ શકે છે.










