યુવાન ખમરી અટકાયતના આઘાતમાંથી બહાર આવ્યો નથી.
કમ્માભાઈ લાખાભાઈ રબારી કહે છે, “તેને ફરીથી સ્વસ્થ થવામાં સમય લાગશે.”
આ પશુપાલક તેમના ટોળામાં એક યુવાન નર ઊંટ વિષે વાત કરી રહ્યા છે.
જાન્યુઆરી 2022માં જ્યારે મહારાષ્ટ્રના અમરાવતીમાં સ્થાનિક પોલીસે તેમના 58 ઊંટોની અટકાયત કરી હતી, તે બનાવ જોતાં કમ્માભાઈનો આશાસ્પદ સૂર સમજી શકાય છે. આ ઊંટોને એક મહિના પછી ફેબ્રુઆરીમાં મુક્ત કરવામાં આવ્યા હોવા છતાં, બધા ઊંટોની તબિયત ખરાબ થઈ હોવાના લક્ષણો જોવા મળ્યા હતા.
તેમને ચરાવનારા પશુપાલકો કહે છે કે તેમની અટકાયત દરમિયાન, આ પ્રાણીઓને તેમનો નિયમિત ખોરાક ખાવા નહોતો મળ્યો. જે ગૌરક્ષણ કેન્દ્રમાં તેમને રાખવામાં આવ્યા હતા, તે અસલમાં ગાયો માટેનું પશુઆશ્રય છે. કમ્માભાઈ કહે છે, “તેઓ ખુલ્લામાં ચરતા પ્રાણીઓ છે, અને મોટા વૃક્ષોના પાંદડાઓ ખાય છે. તેઓ ગાયો માટેનો ખોરાક ન ખાય.”











