જે દિવસે અમે તેમને 2018 માં મળ્યા હતા - તે સમયે તે 97 વર્ષના હતાં. - તેઓ અમારી શોધમાં 30 કિલોમીટર જેટલી સાઇકલ ચલાવીને આવ્યા હતા. ‘અમારી’ એટલે કે મોડી પહોંચેલ એ PARI ટીમ કે જે તેઓની રસપ્રદ કથાની અભિવ્યક્તિ સાંભળવા આતુર હતી. આ મે મહિનાની અધવચ્ચેનો સમયગાળો હતો અને તેમાં તેઓ કલાકો સુધી રસ્તા પર સાઇકલ ચલાવીને આવ્યા હતા, તેમની સાઇકલ કોઇ મ્યુઝિયમના ટુકડા જેવી દેખાતી હતી,પરંતુ તેની તેમને કોઇ ચિંતા ન હતી. આવી વ્યક્તિ જતી રહી છે,પરંતુ તેમની કથા હજી પણ રહી ગઇ છેઃ ગણપતિ યાદવનું મનને જકડી લેતુ જીવનચક્ર
1920 માં જન્મેલા, ગણપતિ બાલ યાદવ, તૂફાન સેના (વંટોળ સેના) ના સૈન્યમાં સ્વાતંત્ર્ય સેનાની હતા, જે સત્તરની પ્રતીક અથવા કામચલાઉ, ભૂગર્ભ સરકારની સશસ્ત્ર પાંખ હતી, જેણે હથિયારોમાં વધારો કર્યો હતો અને 1943 માં બ્રિટીશ શાસનમાંથી સ્વતંત્રતા જાહેર કરી હતી. તેમણે બ્રિટિશ રાજ સામેની તેમની દરેક કાર્યવાહીઓમાં ભાગ લીધો હતો. જી.ડી.બાપુ લાડ અને ‘કેપ્ટન ભાઉ’ ની આગેવાની હેઠળ જૂન 1943માં સતારા જિલ્લાના શેનોલી ખાતે સ્વપ્નસમાન ટ્રેનની લૂંટ ચલાવનારી ક્રાંતિકારી ટીમનો એક ભાગ ‘ગણપા દાદા’ પણ હતા.
“મોટેભાગે, કેટલાય વર્ષો સુધી”તેમણે અમને જણાવ્યા પ્રમાણે: “મેં અમારા નેતાઓને (જંગલમાં સંતાઈને) ખોરાક પહોંચાડ્યો. હું રાત્રે તેમને મળવા જતો. નેતાની સાથે લગભગ 10-20 લોકો હશે. " જો કોઇને આની જરાપણ ખબર પડી હોત - તો તે બધા 20 – લોકો બ્રિટિશરો દ્વારા દેહાંતદંડ પામ્યા હોત. યાદવ તે સમયે તેમની સાઇકલ પર પેડલ મારી મારીને તેમને ગુપ્ત રીતે ભોજન પહોંચાડવાની સેવા આપતા હતા. તેમણે ક્રાંતિકારીઓના જૂથો વચ્ચે આલોચનાત્મક મહત્વપૂર્ણ સંદેશાઓ પણ પહોંચાડ્યા હતાં.






