આ વર્ષે, જુલાઈમાં ઘણા દિવસો સુધી વરસાદ આવ્યો હતો જે પૂર માટે કારણભૂત બન્યો હતો. એક જનહીતની અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે 25,000થી વધુ લોકો સીધી કે આડકતરી રીતે પ્રભાવિત થયા હતા. યમુના નદી પ્રોજેક્ટ: ન્યુ દિલ્હી અર્બન ઇકોલોજી મુજબ, પૂરના મેદાનના સતત અતિક્રમણના ગંભીર પરિણામો આવશે, “…જેવા કે પૂરના મેદાનના નીચાણવાળા વિસ્તારોમાં બાંધવામાં આવેલા બાંધકામોનો વિનાશ અને પૂર્વ દિલ્હીમાં પાણીનો ઘેરાવો.”
યમુના કિનારે લગભગ 24,000 એકરમાં ખેતી થઈ રહી છે, અને ખેડૂતો એક સદી કરતાં પણ વધુ સમયથી અહીં ખેતી કરી રહ્યા છે. પરંતુ પૂરના મેદાનોમાં મંદિર, મેટ્રો સ્ટેશન, કોમનવેલ્થ ગેમ્સ વિલેજ (CWG)ના કોન્ક્રીટાઈઝેશનથી પૂરના પાણીને સ્થાયી થવા માટેની જમીનમાં નિરંતર ઘટાડો થઈ રહ્યો છે. વાંચો: મોટું શહેર, નાના ખેડૂતો અને મૃત્યુ પામતી નદી
બેલા એસ્ટેટના કમલ કહે છે, “આપણે ગમે તે કરીએ, કુદરત તેનો રસ્તો કરી જ લેશે. અગાઉ વરસાદ અને પૂર દરમિયાન પાણી ફેલાઈ જતું હતું, અને હવે [પૂરના મેદાનોમાં] જગ્યા ઓછી હોવાને કારણે, તેને વહેવા માટે ઉપર ઉઠવાની ફરજ પડી હતી, અને આ પ્રક્રિયામાં અમારો નાશ થયો હતો.” કમલ હજુ પણ 2023ના પૂરની કિંમત ચૂકવી રહ્યા છે. તેઓ ઉમેરે છે, “સાફ કરની થી યમુના, લેકીન હમેં હીં સાફ કર દિયા!”
કમલ આગળ કહે છે, “યમુના કે કિનારે વિકાસ નહીં કરના ચાહિયે. યે ડુબ ક્ષેત્ર ઘોષિત હૈ. CWG, અક્ષરધામ, મેટ્રો યે સબ પ્રકૃતિ કે સાથ ખિલવાડ હૈ. પ્રકૃતિ કો જીતની જગા ચાહિયે, વો તો લેગી. પહલે પાની ફૈલકે જાતા થા, ઔર અબ ક્યૂંકી જગહ કમ હૈ, તો ઉઠ કે જા રહા હૈ, જિસકી વજહ સે નુક્સાન હમેં હુઆ હૈ [અમે નથી ઇચ્છતા કે યમુના કિનારાના પૂરના મેદાનોનો વિકાસ થાય. તે પહેલાંથી જ પૂરગ્રસ્ત વિસ્તાર તરીકે નિયુક્ત છે. પૂરના મેદાનોમાં CWG, અક્ષરધામ મંદિર, મેટ્રો સ્ટેશન બનાવવું એ કુદરત સાથે રમવા સમાન છે.”
ગંભીર મુદ્રામાં રાજેન્દ્ર કહે છે, “દિલ્હી કો કિસને ડુબોયા [દિલ્હીને કોણે ડુબાડી]? દિલ્હી સરકારનો સિંચાઈ અને પૂર નિયંત્રણ વિભાગે દર વર્ષે 15 થી 25 જૂનની વચ્ચે તૈયાર રહેવાનું હોય છે. જો તેઓએ બંધના દરવાજા [સમયસર] ખોલ્યા હોત, તો પાણી આ રીતે છલકાયું ન હોત. પાની ન્યાય માંગને સુપ્રીમ કોર્ટ ગયા થા [પાણી જાણે કે ન્યાય મેળવવા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યું હતું].”