પણીમારાંના સ્વતંત્રતા સેનાનીઓને બીજા મોરચા પર પણ યુદ્ધ લડવા પડ્યા. એમાંથી થોડા તો એમના પોતાના ઘરોમાં હતા.
અસ્પૃશ્યતા વિરુદ્ધ ગાંધીજીની હાકલથી પ્રેરિત થઈ તેમણે તેનો અમલ કર્યો
ચમારુ કહે છે, "એક દિવસ અમે ૪૦૦ દલિત લોકોને લઈને આ ગામમાં જગન્નાથ મંદિરમાં ગયા." બ્રાહ્મણોને આ ન ગમ્યું. પણ તેમાંથી થોડા લોકોએ અમારું સમર્થન કર્યું. કદાચ તેઓ એમ કરવા મજબૂર હતા . એ સમયે માહોલ જ એવો હતો. ગૌન્ટિયા (ગામના વડા) મંદિરના સંચાલક ટ્રસ્ટી હતા. તેઓ રોષે ભરાયા અને તેમણે વિરોધમાં ગામ છોડી દીધું. તેમ છતાં તેમનો દીકરો અમારી સાથે જોડાયો, તેમણે અમારું સમર્થન કર્યું અને પોતાના પિતાના પગલાની ટીકા કરી.
“બ્રિટિશ સામાન સામેનું અભિયાન ગંભીર હતું. અમે ફક્ત ખાદી પહેરતા. અમે એને જાતે વળતા. વિચારધારા આ વ્યવહારમાં મહત્વપૂર્ણ હતી. અને વાસ્તવમાં અમે બહુ ગરીબ હતા, એટલે અમારા માટે આ કરવું સારું પણ હતું.”
બધા જ સ્વતંત્રતા સેનાની આ પ્રથાને પછીથી દાયકાઓ સુધી વળગી રહ્યા. જ્યાં સુધી તેમની આંગળીઓ ચમારુ કહે છે, "ગયા વર્ષે હું ૯૦ વર્ષનો થયો ત્યારે મેં વિચાર્યું કે બસ હવે ઘણું થયું. હવે મારાથી આ નહિ થઈ શકે."
આ બધું શરુ થયું 1930 માં સંબલપુરમાં આયોજિત કોંગ્રેસ પ્રેરિત "તાલીમ" શિબિરથી. "આ તાલીમને 'સેવા' કહેવામાં આવતી હતી પરંતુ ત્યાં અમને જેલ-જીવન વિશે શીખવવામાં આવતું. ત્યાં (જેલમાં) શૌચાલયની સફાઈ વિશે, હલકી ગુણવત્તાના ખોરાક વિશે. આ તાલીમ હકીકતમાં શેને માટે હતી એ અમે બધા જાણતા હતા. ગામમાંથી અમે નવ લોકો આ શિબિરમાં ગયા હતા.”
"જ્યારે અમે નીકળ્યા ત્યારે આખું ગામ માળાઓ, સિંદૂર અને ફળ લઈને અમને વિદાય આપવા આવ્યું હતું. તે સમયે લોકોમાં આવો જુસ્સો અને રોમાંચ અને ઉત્તેજના હતા."
આ બધા પાછળ મહાત્માનો જાદુ પણ હતો. "લોકોને સત્યાગ્રહની હાકલ કરતા તેમણે લખેલા પત્રએ અમને ઉત્સાહિત કર્યા. અહીં અમને અભણ, ગરીબ લોકોને તેઓ કહેતા હતા કે અમે પણ હિંમતપૂર્વક સત્તાનો વિરોધ કરી અમારી દુનિયા બદલી શકીએ છીએ. પણ અમને અહિંસાના શપથ લેવડાવવામાં આવ્યા હતા, એ અમારી આચારસંહિતા હતી." પણીમારાંના મોટા ભાગના સ્વતંત્રતા સેનાનીઓએ આ આચારસંહિતા આજીવન પાળી.
તે સમયે તેમણે ગાંધીજીને જોયા પણ ન હતા. પણ એ સમયના બીજા લાખો લોકોની જેમ ગાંધીજીની હાકલનો તેમની પર ઊંડો પ્રભાવ પડ્યો હતો. "અમે મનમોહન ચૌધરી અને દયાનંદ સતપથી જેવા કોંગ્રેસી નેતાઓથી પ્રેરિત થયા હતા." પણીમારાંના સૈનિકો ઓગસ્ટ 1942 ની પણ પહેલા તેમની પહેલી જેલયાત્રા કરી ચૂક્યા હતા. "અમે પ્રતિજ્ઞા લીધી હતી. યુદ્ધ (બીજા વિશ્વયુદ્ધ) માં કોઈ પણ પ્રકારની મદદ, આર્થિક મદદ કે સીધી સંડોવણી, એ વિશ્વાસઘાત હશે. એક પાપ હશે. તમામ અહિંસક માધ્યમોથી યુદ્ધનો વિરોધ કરવાનો હતો. ગામમાં બધાએ આ વાતને ટેકો આપ્યો.
"અમે ૬ અઠવાડિયા કટકની જેલમાં રહ્યા. ત્યારે અંગ્રેજો લોકોને લાંબા સમય માટે જેલમાં પૂરી નહોતા રાખતા. આનું સૌથી મોટું કારણ એ હતું કે હજારો લોકો પહેલેથી જ એમની જેલોમાં હતા. ઘણા બધા લોકો જેલમાં જવા માટે તૈયાર હતા."




