ઘણા સમય પહેલાંની વાત છે. એક સમયે, લાલાલેન્ડની રમણીય નગરીમાં ભગવાન-રાજા અમાન્ડી ડેરોન લોખંડી (ઉણપવાળી) મુઠ્ઠીઓ સાથે શાસન કરતા હતા. તે ના પોતે ખાતા ના કોઈને ખાવા દેતા. કદાચ તેમાં જ ઘટાવાતી એમની કાર્યક્ષમતા. ઓહ, તમે પૂછો છો શું ઘટે છે? અરે! ચિંતાનહીં. ઘટતું કંઈ નથી, જે હતું તે બધું પશ્ચિમી ક્ષેત્રોના વામન પ્રભુ એન્ટિગુઆ એડમને વેચી દીધું છે.
એક દિવસ તેમના મહિમાના મસ્તીખોર પાદરી હમાસિથને એક દુઃસ્વપ્ન આવ્યું, તેણે જોયું કે એક ઉચ્ચપ્રદેશનો કોઈ ઉરા સિંહાસન હડપવાની તૈયારી કરી રહ્યો છે. ચોક્કસપણે તે એક ભયંકર દાખલો હતો, કારણ કે ઉરા એક ક્રૂર જાતિ હતી જેણે લોકશાહી અને એના જેવા બીજા ઘણા દુષ્ટ રિવાજોનું પાલન કર્યું હતું. વાતો સાંભળતાની સાથે હજૂરિયાઓની મંડળી ભેગી થઈ, અને લો! તેઓએ એક દૈવી જાદૂ શોધી બતાવ્યો! મુશ્કેલીઓમાં કામધેનુ સમી દેવી આગાતામુના સૌથી શુદ્ધ છાણમાંથી 108 ફૂટ લાંબી અગરબત્તી બનાવવામાં આવે.
આમ નક્કી થતાં અગાતામુના આંતરડા ઉલેચવામાં આવ્યા, તમામ જરૂરી ઘટકોને એકત્રિત કરી અંતે ધૂપ પ્રગટાવવામાં આવ્યો. અને ગંધ જોઈ હોય તો! અહોહોહો.... મીઠી મીઠી ખેડૂત-દ્વેષી, જુમલા-પ્રેમી ગંધ સુગંધિત ગંધ! કહેવાય છે કે લોબાનનો ધુમાડો ધીમે ધીમે ભૂખે મરતા આકાશમાં વહી ગયો, રાજા ડેરોન પોતે એન્ટિગુઆ અને હમાસિથ સાથે નાચ્યો. ભલું થયું, અપશુકન ટળી ગયું, કે કદાચ નહીં, કોણ કહી શકે? આપણે ફક્ત એટલું જ સમજવાની જરૂર છે કે લાલાલેન્ડમાં છેવટે લોકો ખુશીથી જીવ્યા ના જીવ્યા થયા.


