“આ હાર્મોનિયમ એ અમારું જીવન અને જીવનદોરી છે, અમારું ખેતર, અમારું ઘર છે.”
આ ૨૪ વર્ષીય આકાશના શબ્દો છે, જે હાર્મોનિયમના ધમણમાં એર લીક છે કે નહીં તે ચકાસવા તેમાં હવા ફૂંકી રહ્યો છે. તે ચાવી ઢીલી કરીને તેની સફાઈ કરવા માટે ઉંધી કરે છે, અને કહે છે કે, “અમે ભાગ્યે જ એક ટંકનું ભોજન મેળવીએ છીએ. અમે નિસહાય થઈને અમારા બાળકોને જોઈએ છીએ – જેઓ કોઇપણ ફરિયાદ કર્યા વિના ભૂખ્યાં સુઈ જાય છે. આ લોકડાઉન અમારા જીવનનો સૌથી ક્રૂર અને આઘાતજનક સમય છે.”
આકાશ અને તેનાં ૧૭ અન્ય સાથી રિપેરમેન એ અહિયાં એક વિરલ સમૂહ છે. તેઓ દરવર્ષે ઓક્ટોબરથી જુન મહિનામાં મધ્યપ્રદેશથી મહારાષ્ટ્રમાં ૨૦થી વધુ શહેરો અને નગરોમાં હાર્મોનિયમનું સમારકામ કરતા ફરે છે. આ કામમાં ખુબજ કુશળતાની જરૂર છે, જેમાં શાસ્ત્રીય સંગીતનું ઊંડું જ્ઞાન અને અસામાન્ય શ્રવણ શક્તિ જરૂરી છે.
તેઓ જે હાર્મોનિયમ અને ટુલબોક્સ લઈને ફરે છે તેને લીધે તેઓ મોટે ભાગે જ્યાં જાય છે ત્યાં પેટીવાલા તરીકે ઓળખાય છે. તેઓ બધા કરાહિર સમુદાયના છે કે જે આહિર કે ગાવલી જાતિની પેટાજાતિ છે અને અનુસુચિત યાદવ જાતિમાં તેમનો સમાવેશ થાય છે.
આકાશ મારી સાથે રેનાપુર કે જે મહારાષ્ટ્રના લાતુર નગરથી ૧૮ કિમી દૂર આવેલું છે ત્યાંથી વાત કરી રહ્યો હતો. ૧૮ એ ૧૮ હાર્મોનિયમ રિપેરમેનની સાથે તેમના કુટુંબ છે જે બધા મળીને કુલ ૮૧ માણસો થાય છે. લોકડાઉનના લીધે તેઓ રેનાપુર મ્યુનિસિપલ કાઉન્સિલે મંજુરી આપેલ ખુલા મેદાનમાં તંબુમાં રહેવા મજબૂર હતા.
એ સૌ મધ્યપ્રદેશના જબલપુર જીલ્લાના સિહોર તાલુકામાં આવેલ ગાંધીગ્રામ ગામ કે જેની વસ્તી ૯૪૦ લોકોની છે (૨૦૧૧ની વસ્તીગણતરી મુજબ) ત્યાંના વતની છે. “જો આ બિમારી [કોવિડ-૧૯] ના લીધે મુસાફરી પર અંકુશ ચાલુ રહેશે તો અમે મરી જઈશું. અમારી પાસે જરાપણ પૈસા નથી. દર વર્ષે અમે અમારી મુસાફરીની શરૂઆત કરીએ તે પહેલાં અમારા મહત્વના દસ્તાવેજો અમારા ગામનાં પાડોશી પાસે મૂકી દઈએ છીએ કારણ કે અમે કાચા ઘરો [કાદવના ઘરો]માં રહીએ છીએ. કે જેથી અમારું રાશન અમાન્ય ન થઇ જાય. અમે અહિયાં ભૂખમરાનો સામનો કરી રહ્યા છીએ. શું તમે મહેરબાની કરીને સત્તાધારીઓને વિનંતી કરી શકો ખરા કે અમને પાછા જવા દે?” આકાશ પૂછે છે.






