“અમારો તો ઉનાળો ખોટમાં ગયો! [મોટાભાગના] માટલાં વેચવાની આ મોસમ છે, પરંતુ આ વખતે અમે ખાસ વેચાણ કરી શક્યા નથી,” કાચા માટલાને તેના ઘરની બહારના નીંભાડામાં પકવવા મૂકતાં પહેલાં એના પર ચિતરામણ કરતાં કરતાં રેખા કુંભકારે કહ્યું. લોકડાઉન દરમિયાન એ ઘરમાં બેસીને માટલાં બનાવતી હતી. કામ માટે ભાગ્યે જ બહાર બેસતી.
સામાન્ય રીતે માર્ચ થી મે દરમિયાન બજારોમાં વેચાઈ જતાં આ લાલ માટીના માટલાં છત્તીસગઢના ધમતારી શહેરની કુંભારોની વસાહત, કુંભારપાડામાં ઘરોના આંગણાઓમાં ફેલાયેલા પડ્યા છે. "શાકભાજીવાળાઓને સવારે સાતથી બપોરે બાર વાગ્યા સુધી બજારમાં એમનો માલ વેચવાની છૂટ અપાઈ છે એ જ રીતે અમને પણ માટલાં વેચવાની છૂટ મળવી જોઈએ. નહીં તો અમે ભારે મુશ્કેલીમાં મુકાઈ જઈશું.’ રેખાએ કહેલું.
એ જ વખતે ભુવનેશ્વરી કુંભકાર માથે વાંસનો ખાલી ટોપલો લઈને કુંભારપાડામાં પાછી ફરી હતી. તેણે કહ્યું, ‘ વહેલી સવારથી હું માટલાં વેચવા શહેરની વિવિધ વસાહતોમાં ફરું છું. અત્યાર સુધી આઠ માટલાં વેચાયાં અને હવે બીજા આઠ લઈને હું ફરી જાઉં છું તો ખરી પણ પરંતુ મારે ટૂંક સમયમાં પાછા ફરવું પડશે કારણ બપોરે લોકડાઉન ફરી શરૂ થશે. અમને બજારમાં જવાની મંજૂરી નથી, તેથી અમે વધારે વેચાણ કરી શકતા નથી. સરકાર માત્ર ચોખા અને પાંચસો રૂપિયા આપે એટલાથી ઘર થોડું ચાલે?
કુંભારપાડાના કુંભારો - અહીંના તમામ પરિવારો કુંભાર ઓબીસી સમુદાયના છે - મોટા માટલાં 50 થી 70 રુપિયામાં વેચે છે. માર્ચથી મે મહિના સુધી, જ્યારે સૌથી વધુ વેચાણ થાય છે, ત્યારે દરેક કુટુંબ 200 થી 700 માટલાં બનાવે છે, કારણ કે આ મહિનાઓમાં લોકો પાણી ભરવા અને તેને ઠંડુ રાખવા માટે માટલાં ખરીદે છે. કુલ કેટલાં માટલાં બને એનો આધાર આકામમાં પરિવારના કેટલા સભ્યોની મદદ મળે છે તેના પર છે. બીજી મોસમમાં કુંભારો તહેવારો માટે નાની મૂર્તિઓ, દિવાળી દરમિયાન કોડિયાં, લગ્નપ્રસંગ માટેની નાની માટલીઓ અને થોડી બીજી વસ્તુઓ બનાવે છે.
ચોમાસા દરમિયાન, મધ્ય જૂનથી સપ્ટેમ્બરના અંત સુધી, તેમનું કામ બંધ રહે છે કારણ કે ભેજવાળી માટી સુકાતી નથી અને ઘરની બહાર કામ કરવું શક્ય નથી હોતું. આ મહિનાઓ દરમિયાન કેટલાક કુંભારો (આ કુટુંબોમાંથી કોઈની પોતાની ખેતીની જમીન નથી) ખેતમજૂરીનું કામ શોધે છે. તેમાં તેમને દિવસના 150-200 રુપિયા મળે છે




