સાંજના છ થયા છે.ગાયોનો ઘરે આવવા નો સમય છે. પરંતુ મસાઇવાડી માં, ગાયો છ મહિના સુધી પરત નહીં ફરે.ના ગાયો ના ઘંટડી , ના ભાંભરડા , ના દૂધ ભેગું કરતા વાહનોની ધાંધલધમાલ, ના ગાયોના લીલા છાણની વાસ. મહારાષ્ટ્રના સતારા જિલ્લાના માણ બ્લોકનું લગભગ ૩૧૫ ઘરોવાળું આ ગામ શાંત થઇ ગયું છે. ગામના અડધા લોકો અને લગભગ બધા પશુઓ પાંચ કિલોમીટર દૂર, મ્હસવડ શહેરની નજીક, સતારા થી ૧૦૦ કિલોમીટર દૂર, એક ચારા શિબિરમાં ગયેલા છે.
૪૦ વર્ષના સંગીતા વીરકર, પોતાની બે ભેંસો અને બે જર્સી ગાયો તેમજ પોતાના ઘરડા અને નિર્બળ પિતાની એક ગાય અને એક વાછરડા સાથે જાન્યુઆરી થી ત્યાં રહી રહ્યા છ . તેમના ૪૪ વર્ષના પતિ નંદુ, ,તેમની ૧૫ વર્ષની ૧૦ મ ધોરણની પરીક્ષા આપી રહેલી દીકરી કોમલ,અને ૭ માં ધોરણમાં ભણતા દીકરા વિશાલ સાથે ગામમાં રોકાયા છે. તેમની મોટી દીકરના લગ્ન થઇ ગયાં છે . પરિવારની ત્રણ બકરીઓ,એક બિલાડી,અને એક કૂતરો પણ ઘરે છે.
“બાળકો ઘરે છે અને પશુઓ શિબિરમાં છે. મારે બંનેની (એકસરખી ) દેખભાળ કરવાની છે,” ધાનગર સમુદાયની ભ્રમણશીલ જાતિના સંગીતા કહે છે. “આ વર્ષે એકવાર પણ વરસાદ થયો નથી. અમારી પાસે ૧૨ એકર જમીન છે જેના ઉપર મારા પતિ અને તેમનબે ભાઈ સાથે મળીને ખેતી કરે છે. અમે ૨૦-૨૫ ક્વિન્ટલ જુવાર બાજરી (ખરીફ ઋતુ માં) મેળવીએ છીએ. પરંતુ આ વર્ષે, અમને કઈ નથી મળ્યું. પૂરો પાક નાશ પામ્યો. વરસાદ ના હોય એટલે ચારો ય ક્યાંથી હોય રવિ પાક લગભગ શૂન્ય છે. કઈ રીતે અમે અમારા પશુઓને ખવડાવીએ ?” તે વ્હાલથી ગાયને થપથપાવતાંપ્રશ્ન કરે છે.









