૨૦૧૪માં ટેરી (ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ) દ્વારા હાથ ધરવામાં આવેલા અન્ય એક અધ્યયનમાં કહેવામાં આવ્યું છે: “૧૯૦૧-૨૦૦૩ના સમયગાળાના વરસાદના આંકડા દર્શાવે છે, કે જુલાઈમાં [રાજ્યભરમાં] ચોમાસાના વરસાદનો ભાગ ઓછો થઈ રહ્યો છે, જો કે ઓગસ્ટમાં વરસાદ સતત વધતો જાય છે… ઉપરાંત, ચોમાસા દરમિયાન, ખાસ કરીને મોસમના પહેલા મધ્યમાં (જૂન અને જુલાઈ) દરમિયાન વધારે વરસાદની ઘટનાઓ વધી છે.”
મહારાષ્ટ્ર માટે હવામાન પરિવર્તનની નબળાઈ અને અનુકૂલન વ્યૂહરચના નિર્ધારણ: આબોહવા પરિવર્તન માટેની મહારાષ્ટ્ર રાજ્ય અનુકૂલન કાર્ય યોજના શીર્ષક વાળા આ અધ્યયન મુજબ, “લાંબા શુષ્ક દિવસો,તાજેતરમાં વરસાદ પરિવર્તનશીલતામાં વધારો, અને [વરસાદ] માત્રામાં ઘટાડો,” , વિદર્ભની મુખ્ય નબળાઈઓ છે.
આમાં (અધ્યન) જણાવાયું છે કે ભંડારા એ જિલ્લાઓના સમૂહમાં શામેલ છે કે, જ્યાં મહત્તમ વરસાદ ૧૪થી ૧૮ ટકા વધી શકે છે,(બેઝલાઇનને અનુરૂપ), અને ચોમાસાના દિવસો દરમિયાન સૂકા દિવસોમાં વધારો થવાની સંભાવના છે. અધ્યયનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે નાગપુર વિભાગ (જ્યાં ભંડારા આવેલ છે), માટે તાપમાનમાં સરેરાશ વધારો (વાર્ષિક સરેરાશ તાપમાન ૨૭.૧૯ ડિગ્રી પર) ૧.૧૮ થી ૧.૪ ડિગ્રી સુધી (૨૦૩૦ સુધીમાં), ૧.૯૫ થી ૨.૨ ડિગ્રી સુધી (૨૦૫૦ સુધીમાં) અને ૨.૮૮ થી ૩.૧૬ ડિગ્રી (૨૦૭૦ સુધી) જઈ શકે છે. તે રાજ્યના કોઈપણ ક્ષેત્ર માટે સૌથી વધુ છે.
ભંડારાના કૃષિ અધિકારીઓએ પણ વરસાદ ઉપર મોટાભાગે નિર્ભર પોતાના જિલ્લામાં આ પ્રારંભિક પરિવર્તન નોંધ્યું છે, જે તેમના પરંપરાગત તળાવો, નદીઓ અને પૂરતા વરસાદને કારણે સરકારી સાહિત્ય અને જિલ્લાની યોજનાઓમાં હજી પણ વધુ સારી રીતે સિંચાઈવાળા વિસ્તાર તરીકે લખાય છે. ભંડારાના વિભાગીય કૃષિ નિરીક્ષણ અધિકારી મિલિંદ લાડ કહે છે, કે “અમે જિલ્લામાં વરસાદના વિલંબના લગાતાર થઇ રહેલા ફેરફારના વલણને જોઈ રહ્યા છીએ, જે વાવણી અને ઉપજને નુકસાન પહોંચાડે છે. અમારે ત્યાં ૬૦-૬૫ દિવસ વરસાદ પડતો હતો, પરંતુ છેલ્લા એક દાયકામાં તે જૂન-સપ્ટેમ્બરના ગાળામાં ૪૦-૪૫ દિવસથી નીચે આવી ગયો છે.” તેમના પ્રમાણે, ભંડારાના કેટલાક આવકવાળા વિસ્તારો, ૨૦ ગામોના સમૂહમાં આ વખતે જૂન અને જુલાઈમાં ભાગ્યે જ ૬ કે ૭ દિવસનો વરસાદ જોવા મળ્યો હતો.
“જો ચોમાસું મોડું થાય તો તમે સારી ગુણવત્તાવાળી ડાંગર ઉગાડી શકતા નથી.” લાડ ઉમેરે છે, “૨૧ દિવસના નર્સરી સમયગાળા પછી જ્યારે ડાંગરના વાવેતરમાં વિલંબ થાય છે ત્યારે ઉત્પાદનમાં હેક્ટર દીઠ ૧૦ કિલો ઘટાડો થાય છે.”
બીજના વાવેતરની પરંપરાગત પદ્ધતિ -પ્રથમ નર્સરી ઉગાડ્યા પછી છોડ વાવવાને બદલે, જમીનમાં બીજ ફેંકવા- ઝડપથી જિલ્લામાં પરત ફરી રહ્યું છે. પણઆ રીતે વાવેતર કરવાથી, ઓછા અંકુરણ દરને લીધે ઉપજ ખરાબ થઇ શકે છે. તેમ છતાં, પ્રથમ વરસાદ વિના નર્સરીમાં છોડ ઉગી ન શકવાથી આખો પાક ગુમાવવા કરતા, બીજ ફેંકવાની પદ્ધતિથી ખેડૂતોને એ કરતા ઓછો નુકસાન થઈ શકે છે.