વિટ્ટો પાંડેને શૌચાલય સુધી પહોંચવા ૬૦ ડગલાં ભરવાં પડે છે. ખડબચડા રસ્તા ઉપર તેઓ એકલા ચાલી નથી શકતા. ઘણીવાર તેઓને કલાકો સુધી કોઈની રાહ જોવી પડે છે કે કોઈ તેમનો હાથ પકડી લઈ જાય. “હું વારે ઘડીયે પડું છું, અને ઊભી થાઉં છું, એકવાર તો એક આખલાએ મને ભેટું માર્યું હતું અને અઠવાડિયાઓ સુધી ત્યાં સુજન રહી હતી.” તેઓ કહે છે.
વિટ્ટો જન્મથી આંખે નબળા છે, સામાન્ય રીતે, તેમની ભાભી તેમને શૌચાલયે લઈ જાય છે. “ઘણી વાર તો હું કામમાં હોઉં છું અને તે મને બોલાવે છે, આ સમસ્યા છે.” ગીતા કહે છે, કે જે પોતે ખેતરોમાં શૌચ માટે જાય છે. “શૌચાલયોમાં પાણી નથી આવતું, એટલે તે ગંદી રહે છે, તે બેકાર શૌચાલય છે,” તે કહે છે. તેમના પતિ સનાતક, વિટ્ટોના ત્રણ ભાઈઓમાં સૌથી નાના છે. તેઓ તેમના ગામ બાખરીમાં પોતાની ૧ વિઘા જમીનમાં ખેતી કરે છે, તેમનું ગામ લખનઉ જિલ્લાના ગોસઇગંજ વિસ્તારમાં આવેલું છે.
૨૦૩ શૌચાલયોમાંથી ઘણા વસાહતથી દૂર આવેલ છે, ભાંગી ગયેલ છે અને વાપરી શકાય એવી હાલતમાં નથી. શૌચાલયની પ્રારંભિક સગવડ ના મળતી હોવાના કારણે લાંબા સમય માટે સંડાસને રોકી રાખવી પડે છે; (સંડાસ કરવા માટે) લાંબુ ચાલીને જવું પડે છે; અવારનવાર ગામવાળાઓએ અપમાન સહન કરવા પડે છે.
તારાવતી સાહુ એક ગૃહિણી છે, તેઓ એવા ઘણા દિવસો યાદ કરે છે, કે જયારે તેમનું પેટ ખરાબ હોય છે, અને ખેતરમાં ઉતાવળે જતાં કોઈના ઘરની સામે સંડાસ કરી જાય છે. “તે એક શરમજનક પરિસ્થિતિ હોય છે, પાડોશીઓ ખાર ખાઈને જુવે છે. જયારે મારું પેટ ખરાબ થાય છે, ત્યારે હું સંડાસને રોકી નથી શકતી. સંડાસ કરી જવાના કારણે હું ઘણીવાર શેરીને ધોવું છું, દિવસમાં પાંચ વખત,” તેઓ કહે છે કે ૬૫ વર્ષની ઉંમરે ખેતર સુધી પાંચ મિનીટનો રસ્તો કાપતાંય ભારે પડે છે. તેમના ૭૨ વર્ષના પતિ, માતાપ્રસાદ સાહુ, જેઓ એટલા અશક્ત છે કે ત્રણ વીઘાના ખેતરમાં કામ પણ નથી કરી શકતા, તેમના જેવી જ સમસ્યા વેઠે છે. “અમે ઘણા લોકોને વિનંતી કરી, પણ કોઈ અમારી તરફ ધ્યાન આપતું નથી. હું તો શૌચાલય વિષે કહી કહીને થાકી ગઈ છું,” તેઓ કહે છે.






