સજાવટની સામગ્રી બનાવવા માટે હું શોલાપીઠનો ઉપયોગ કરું છું, જે એસ્કેનોમની એસ્પેરા એલ. છોડનો કૉર્ક છે. આ બહુ સહેલાઈથી ઉપયોગમાં લઇ શકાય છે અને એને વિવિધ આકારો અને ડિઝાઇનમાં કાપી શકાય છે. વળી તેનું વજન પણ ઓછું હોય છે. અમે ઓડિશામાં આ કામને શોલાપીઠ તરીકે ઓળખીએ છીએ.
આમાંથી હું ગળાનો હાર, દશેરા માટે ભરતકામ, ફૂલો અને અન્ય સુશોભનની વસ્તુઓ બનાવી શકું છું, પરંતુ મંચ પર પ્રદર્શન કરતી વખતે ઓડિશાના નર્તકો જે માથાનું ઘરેણું પહેરે છે, તે તાહિયા માટે હું વધુ જાણીતો છું.
પ્લાસ્ટિકના તાહિયા પણ ઉપલબ્ધ છે, પરંતુ તે o c nn bgcvvcv,’; zx ઉપરની ચામડીમાં બળતરા કરે છે, જેનાથી તેમના માટે લાંબા સમય સુધી તેને પહેરી રાખવું મુશ્કેલ બને છે. ઉપરાંત, પ્લાસ્ટિકને વિવિધ ડિઝાઇનમાં કોતરી શકાતું નથી.
તાહિયા બનાવનારા બીજા ઘણા કુશળ કારીગરોએ તેને બનાવવાનું બંધ કરી દીધું છે, પરંતુ મને આ કામ પસંદ છે.












