શ્રીકવલ ભરત મોરેઅમને તેમનાંપતરાની દીવાલોઅને છાપરાવાળુંઘર બતાવતાંકહે છે, “રાત્રે તોઆભ ફાટ્યુંઅને બધુંજ તાણીગયું... તમેજાતે જજોઈ લો. બધું જધોવાઈ ગયું. અમારું ઘરઅને ચારઢોર તણાઈગયાં. બસ, બધું જતણાઈ ગયું...”. તેઓ ઉમેરેછે, “પાણીકેડસમું હતું. અમારા દીકરાએફોન કરીનેઅમને જગાડ્યાંએટલે અમેબચી ગયા. પણ એ પાણી...”
મોરે માવશીતેઓ જેકંઈ બચાવીશક્યાં તેનેઘરમાં ધાતુનીઘોડીઓ પરગોઠવી દીધુંછે. ઘરનીમાટીની લાદીધોવાઈ ગઈછે અનેહવે માત્રરેતાળ અનેઉબડખાબડ જમીનરહી ગઈછે.
21 સપ્ટેમ્બર, 2025ના રોજ, ધારાશિવ (પૂર્વેઉસ્માનાબાદ)નાભૂમ બ્લોકમાંઆવેલા ચિંચપુરઢગે ગામમાંમુશળધાર વરસાદવરસ્યો હતો. આ ગામગોદાવરીની સહાયકનદી બાણગંગાનાકિનારે વસેલુંછે. બીજાદિવસે, 22 સપ્ટેમ્બરેપણ આખીરાત ધોધમારવરસાદ ખાબક્યોહતો. આખુંગામ પાણીમાંગરકાવ થઈગયું હતું. આ જળબંબાકારનુંવર્ણન કરતાંઅહીંના રહેવાસીઓકહે છે, “અમારા આખાજીવનમાં અમેઆવું ક્યારેયજોયું નથી.”
સૂર્યકાંત મોરે અમનેનદી બતાવેછે જેનાકિનારા પરનાંખેતરો ધોવાઈગયાં છે, જેમાં તેમનીએક-એકએકરની દ્રાક્ષનીબે વાડીઓપણ સામેલછે. મોરેકહે છે, “અમે અમારાંઢોરને માંડમાંડ બચાવીશક્યાં. તેઓગળાડૂબ પાણીમાંહતાં. મેંતેમને છોડીમૂક્યાં હતાંએટલે તેઓબચી ગયાંછે. પણપતરાના શેડમાંજે કંઈપણ સંગ્રહકરેલું હતુંતે બધુંપલળી ગયુંછે. જુવાર, મગ, અડદઅને મગફળીનીગુણો, બધુંજ. બધુંકડબા — એટલેકે જુવારકે મકાઈનાસાંઠા — બધુંજ તણાઈગયું છે.”
મોરેએ દોઢએકરમાં ડુંગળીવાવી હતી. હવે આખાખેતરમાં માત્રપથ્થર અનેકાંકરા જનજરે પડેછે. ડુંગળીનાબધા રોપાઓઅને જમીનનુંફળદ્રુપ પડ, બધું જધસમસતા પાણીમાંવહી ગયુંછે.























