બિહારના દરભંગા જિલ્લાના તારડી ગામના ખેતમજૂરોના દીકરા લાલ સિંહ 1997 માં મુંબઈ આવ્યા હતા. ઘરનો અર્થ હતો ગરીબી અને સંઘર્ષ, મુંબઈમાં ઝળહળાટ હતો. તેઓ આજીવિકાની શોધમાં ભારતભરના ગામડાઓથી શહેરોમાં સ્થળાંતર કરનારા 2.1 કરોડ સ્થળાંતરિતો માંના એક હતા અને એ જ દાયકામાં આજીવિકાની શોધમાં ફક્ત મુંબઈ જનારા 25 લાખ લોકોમાંના એક હતા. તેઓ ચોકીદાર તરીકે કામ કરે છે, ફેક્ટરીમાં દાડિયા મજૂર તરીકે કામ કરે છે, ઓફિસ બોય તરીકે કામ કરે છે, કૂતરાઓને ચલાવવા લઈ જનાર તરીકે કામ કરે છે, રસોઈયા તરીકે કામ કરે છે. પરંતુ શહેરમાં તેમને એક નવો જુસ્સો અને એક નવું સપનું જડી આવે છે. તેમને અભિનય અને લેખનના પોતાના શોખની જાણ થાય છે.
છેલ્લા 28 વર્ષથી લાલ સિંહ મુંબઈમાં રોજીરોટી રળવા માટે કામ કરીને દિવસો પસાર કરે છે. પરંતુ પડદા પાછળ તેઓ હજી પણ પોતાની કુશળતાને નિખારી રહ્યા છે અને પોતાના સર્જનાત્મક સપનાઓને પોષી રહ્યા છે. આ વાર્તા છે લાલ સિંહની અને તેમની ડરામણી અને પ્રેરણાદાયક લાંબી સફરની.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક


